શનિવાર, 29 ફેબ્રુઆરી, 2020

અનુરાધા


શું કરું લોહીના સંબંધે ગુંથાઈ છું કહી અનુરાધા રડતી હતી. કંઈ સૂઝ ના પડી શું કહેવું તેને. જાનકી એ પાણી આપી એની પીઠ પંપાળી. પેહલા તો અનુ ના પતિ હર્ષદે હા પાડી કે હેમલ ભલે રહે આપણી સાથે. થોડો વખત તો લાગણી, સમજ, અનુકંપા કામ કરી ગઈ પછી ખર્ચા વધ્યા, ધર માં મોકળાશ ના લાગી ને કૂતરા ને વ્હાલથી બોલાવાય પણ હેમલનું તોતડા પણું ને કોઈ આવે ત્યારે ઉશ્કેરાઈ જ્વું બધુ ભારે પડ્તું લાગ્યું. હર્ષદે સાળા ને ધરમાંથી કાઢી મૂક્યો. અનુરાધા તેથી રડતી હતી.  જાનકી આમાં શું સલાહ દે ને શું સમજાવે ?? લાંબા સમય કોઈને કોઈની જીમ્મેદારી લેવી ક્યાંથી હોય તે પણ સ્વાભાવિક તો ખરુંજ...પણ સામાન્યતા થી ઉપર ઉઠી અનુરાધા એના ભાઈ હેમલને લઈને નીકળી ગઈ. નાનકડા એપાર્ટ્મેન્ટમાં મા-બાપ સાથે શીફ્ટ થઈ ગઈ. ધીમે ધીમે દવા ને પ્રેમ મળતા હેમલમાં ચેંજ દેખાયો ને પોતાના જ નાનકડા બીઝનેસમાં પણ હેલ્પ કરવા લાગ્યો. ત્યારે અનુ ખૂબ ખુશ થઈ. એટલાથી તે હારી નહીં હેમલ જેવા બીજા ત્રણ ને પણ બીઝનેસમાં મદદ માટે લીધા. એણે એના પોતાના પિતાને બીજા આગળ કરગરતા જોયેલા કે મારા ભણેલા દીકરાને જોબ આપો પગાર નહીં આપો તો પણ ચાલશે.
કરૂણતા ની પરાકાષ્ઠ્ઠા આથી વિષેશ કઈ કહેવાય ? પતિ ના મદદ નો આભાર માન્યા પછી ભાઈ ને લઈને નીકળી પડી ને પિયર પક્ષે દીકરા ની જેમ મા-બાપ ના પડખે ઉભી રહી. અનુરાધાને ખબર હતી કે જો પોતે નહી કરે તો તેના ભાઈની જિંદગી ખરાબ થઈ જશે. સમય વર્તે સાવધાન આનું જ નામ. નવો ચેંજ ને મા-બાપ ના ખરા આશિર્વાદ ફળ્યા. જે બીજાનું સારું ઇરછે સારું કરે તો તેનું ભગવાન સારું જ કરે છે. --- રેખા શુક્લ